ચીન આપણા લડાખ, ભૂતાન, અરૂણાચલપ્રદેશ જ નહીં પણ આપણા બદ્રીનાથ મંદિર, જોશીમઠ વગેરેને પણ પોતાના ગણાવે છે !
આવતા બે-ચાર વર્ષમાં શું ચીન આપણી ઉપર શું આક્રમણ કરશે ?
ચીનના કબજામાં જો આપણો દેશ આવી ગયો તો ચારસો વર્ષે પણ ચીનના સકંજામાંથી આપણે છૂટી શકીશું નહીં !
ચીનની ચાલબાજી.
બીજા કંઈ જ નહીં...પણ પ્રબળ ઇચ્છા શક્તિનો, દ્રઢ મનોબળ, સંકલ્પશક્તિનો અને દેશભક્તિનો, દેશપ્રેમનો અભાવ જ કારણભૂત છે...પાકિસ્તાન હોય કે ચીન હોય કે અમેરિકા હોય....બધાના મુકાબલે આપણા શાસકો, આપણા સત્તાધિશો, આપણા રાજકીય પક્ષો, આપણા નેતાઓ...કોઈનામાં દેશભક્તિ, દેશપ્રેમ નથી અને એના અભાવના કારણે એમનામાં પ્રબળ ઇચ્છાશક્તિ નથી, દ્રઢ મનોબળ નથી અને લોખંડી સંકલ્પશક્તિ નથી...પછી એ મનમોહનસિંહ હોય કે આડવાણી હોય, નરસિંહરાવ હોય કે મુલાયમ હોય, સુષમા સ્વરાજ હોય કે મમતા બેનરજી હોય !
બાકી ચીન કે પાકિસ્તાનની હેસીયત નથી કે...આપણી સામે ચેંચુ કરે. (હવે તો, એવી શંકા જાય છે કે....આપણા વિદેશખાતામાં, આપણા સંરક્ષણ ખાતામાં, આપણા ગૃહખાતામાં....આપણા ખાતેખાતામાં જાસુસો જ ગોઠવાયેલા છે... પેલી માઘુરી ગુપ્તા જેવી ઓફિસર જાસુસ હોય પછી તો થઈ રહ્યું ને ?...હજી તો, એની ‘‘તપાસ’’ ચાલે છે ! અરે, આવા દેશદ્રોહીને તો તરત જ ગોળીએ જ દેવા જોઈએ ! પેલા કાસબને જીવતો રાખીને શું મેળવ્યું ? લો, હવે પાકિસ્તાન કહે છે કે...એને અમને સોંપી દો ! આવાના કેસ ચલાવવામાં શું મળ્યું ? આપણા જનતાના અબજો રૂપિયા ગટરમાં જ નાખવાનાને ?
પેલા લલિતમોદીને કે ડૉ. દેસાઈ જેવા રાક્ષસને શા માટે જીવતા રાખવાના ? આપણા જનતાના અબજો રૂપિયાનું પાણી જ એમને જીવતા રાખીને કરવાનું ને ? કેસ ચલાવીને પણ શું ફાયદો છે ? વકીલોને કમાવી આપવાના ? અને બીજા હજારો કેસો અટકાવી દેવાના ? એ ન્યાય નથી પણ બન્ને પક્ષ (જનતા અને ગુનેગાર) માટે અન્યાય છે. પાકિસ્તાને કસાબને સોંપવાની માંગણી કરી છે પણ પેલા બીજા નવ આતંકવાદીઓના શબ લઈ જવા પાકિસ્તાન તૈયાર નહીં થએલું આપણે એ શબોને કરોડો રૂપિયાનો ખર્ચ કરીને એક વર્ષ સુધી રાખવા પડેલા અને અંતે એનો હમણાં નાશ કર્યો ! આવા અવળ ચંડા પાકિસ્તાન સાથે વાટાઘાટો કર્યા કરવાનો કશો જ અર્થ નથી. આપણા ૫૦ વર્ષથી એની સાથે વાટાઘાટો કર્યા કરીએ છીએ પણ પરિણામે શું મળ્યું ? વઘુ આતંકવાદીઓ, વઘુ હુમલાખોરી અને વઘુ ખુવારી ! પાકિસ્તાન સાથે તડનેફડ જ હોય !)
પરંતુ ૧૯૫૦થી અત્યાર સુધીની આપણી દરેક સરકારો ચીનથી દબાયેલી જ રહી છે અને ચીન આપણી એ નબળાઈને દબાવતું જ રહ્યું છે. તિબેટમાં એક કહેવત છે કે....જો હૃદય મજબૂત હોય તો ઉંદર પણ હાથીને ઉપાડી શકે છે. (ગુજરાતીમાં પણ એ મતલબની કહેવતો છે જ.) પણ આપણે સરકાર ઉંદરના બદલે સિંહ હોવા છતાં પેલા હાથીને આપણા અરૂણાચલપ્રદેશને ખુંદવા દીધો છે. એ હાથીએ તિબેટને પહેલાં જ કચડી નાંખ્યું હતું.
ચીનના માઓ ત્સંતુંગે ૧૯૫૦માં આપણા વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને એક સંદેશો આપ્યો હતો....કે, તિબેટને ‘‘મુક્ત’’ કરી દીઘું છે. જવાબમાં જવાહરલાલે ભોળાભાવે પૂછેલું કે, ‘‘મુક્ત કોનાથી કર્યું ?’’ (તિબેટ તો મુક્ત જ હતું પરંતુ સામ્યવાદીઓ પોતે જેનો કબજો લે છે એને ‘‘મુક્ત’’ કર્યું એમ કહીને જનતાને ગેરમાર્ગે દોરવાની નીતિ રાખે છે.)
સામ્યવાદી અને તિબેટને એ રીતે ‘‘મુક્ત’’ના નામે ગુલામ બનાવી દીઘું અને ત્યાંના લાખો તિબેટીયનોને રહેંસી નાખ્યા. એ વખતે નેહરૂએ ચીનનો વિરોધ ન કર્યો પણ ઉલટાનું પંચશીલની સંધિ ચીન સાથે કરીને ભારતની લેખિત મંજુરી આપી દીધી. માઓએ ત્યારે કહેલું કે ‘‘તિબેટ ચીનની કપાયેલી હથેળી હતું જે હવે જોડાઈ ગઈ છે...બસ હવે પાંચ આંગળીઓ જોડવાની રહી....’’ (એ પાંચ આંગળીઓ એટલે અરૂણાચલ, લદાખ, સિક્કિમ, ભૂતાન અને નેપાળ. એમાં નેપાળને ચીન અંગુઠો ગણે છે જેનો કબજો ચીને લઈ લીધો છે. અરૂણાચલનો પણ અમુક ભાગ ચીનના કબજામાં છે. હમણાં દલાઈલામા જ્યાં ગયેલા અને મનમોહનસિંહ પણ ગયેલા ત્યારે ચીને વિરોધ કરેલો એ તવાંગ અરૂણાચલનું હૃદયસ્થળ છે. એ તવાંગની નજદીકના પ્રદેશ ઉપર ચીને ગેરકાયદે કબજો કરેલો છે.
આ તવાંગ બૌઘ્ધોનું તીર્થસ્થળ છે અને ૧૦ હજાર ફીટ ઊંચે આવેલું છે. ચીને એ મેળવવા જ ૧૯૬૨માં આપણી ઉપર આક્રમણ કરેલું. રાજીવ ગાંધી ૧૯૮૮માં આપણા વડાપ્રધાન તરીકે ચીનના પ્રવાસે ગયેલા ત્યારે ચીનના વડાપ્રધાન દેંગ જાિઓ પેંગે કહેલું કે....‘‘તવાંગ અમને આપી દો તો અમને સંતોષ થઈ જશે.’’ ચીનની માંગણી જ નહીં પણ વર્તણૂંક...આચરણ જ એવું છે કે એ તવાંગને અને અરૂણાચલને ચીનનો ભાગ જ ગણાવે છે. જાણે તવાંગ એનું જ હોય એમ ચીને ૨૦૦૬માં ભારતના લશ્કરને કહ્યું હતું કે, ‘‘તવાંગમાં બૌઘ્ધની જે મૂર્તિ છે એ ત્યાંથી હઠાવી લો...’’ જેના જવાબમાં આપણી મનમોહન સરકારે અને ભારતીય લશ્કરે એ મૂર્તિને ત્યાંથી હઠાવવાનો ઇન્કાર કર્યો. એટલે આપણા વડાપ્રધાન સરદાર મનમોહનસિંહના રાજમાં જ ચીનના લશ્કરે તવાંગમાં પ્રવેશીને ૨૦૦૭ના ઓક્ટોબરમાં ૩૦ તારીખે ભગવાન બૌઘ્ધની એ પ્રતિમા તોડી નાંખેલી.
આ શું બતાવે છે ?
વિચાર કરો !
આ સમાચારો સરકારે દબાવી રાખેલા પરંતુ અખબારોએ (આસામ અને અરૂણાચલના અખબારો અને પ્રજા ઘણી દેશપ્રેમી છે. દા.ત. બંગાળમાંથી હિન્દીમાં દૈનિકો નીકળે છે એ કરતાં આસામમાંથી અને અરૂણાચલમાંથી હિન્દી દૈનિકો વઘુ નીકળે છે. એ જ રીતે બંગાળમાં હિન્દી ભાષા બોલનાર અને સમજનાર હશે એ કરતાં આસામ, અરૂણાચલ, મેઘાલયમાં વઘુ છે.) આ વાત (આપણું ચીને કરેલું અપમાન) અખબારોએ છાની ન રાખી. પરિણામે સંસદમાં પ્રશ્નો થવા લાગ્યા..જેના જવાબમાં અંતે સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટનીએ ૨૦૦૭ના ૨૨ નવેમ્બરે સંસદમાં આ બનાવનો સ્વીકાર પણ કર્યો.
ચીન હજી આપણા દેશાભિમાનનું અપમાન થાય એવું બીજું કામ પણ કરી રહ્યું છે.
દા.ત. અરૂણાચલવાસી કોઈને પણ ચીન જવું હોય તો ચીનની એલચી કચેરી કહે છે કે....‘‘તમારે વીઝા લેવાનો ન હોય કારણ કે અરૂણાચલ ચીનનો જ ભાગ છે એટલે તમારે સ્વદેશમાંને સ્વદેશમાં જવું હોય તો વીઝાની જરૂર ન હોય.’’
ચીનના આવા અપમાનો આપણી અત્યારની અને આ પહેલાંની ઇંદિરા-રાજીવ સિવાયની બીજી બધી સરકારો નપુંસક હોય એમ જોઈ રહે છે !
દા.ત. સંસદમાં જ અગાઉની સરકારે જણાવ્યું હતું કે અરૂણાચલના મુખ્યપ્રધાન ગેગોંગ અપાંગને જ ચીનની સરકારે વીઝા આપવાનો ઇન્કાર કરેલો. એ પછી ૨૦૦૭ના ડિસેમ્બરમાં લગભગ સો જેટલા આઈએએસ અમલદારો ચીનના પ્રવાસે જવાના હતા એમાં અરૂણાચલના એક અમલદાર ગણેશ કોયુ નામના હતા એને એકને વીઝા આપવાનો ચીને ઇન્કાર કર્યો એટલે બધા જ આઇ.એ.એસ. ઓફિસરોએ પ્રવાસ રદ કરેલો.
એ વખતે મનમોહન સરકારને સૂચન થએલું કે....કૌટિલ્યની નીતિ પ્રમાણે ‘‘શઠં પ્રતિ શાઠ્યં’’ અથવા ‘‘જેવા સાથે તેવા’’ કરીને આપણે ચીનના પડખે આવેલા તાઈવાનને માન્યતા આપીને ત્યાં આપણી એલચી કચેરી કરીને એલચીને પણ ત્યાં રાખવાનું કરીએ...પણ એટલા માટે છાતી જોઈએ ! આપણા કોંગ્રેસ કે ભાજપ કે જનતાદળ કોઈના પણ એકાદ નેતામાં શું એવી છાતી છે ? અરે, ઇંદિરાગાંધી જેવું પણ મનમોબળ કોઈનામાં નથી.
બહુ ઓછા લોકો એ જાણે છે કે ભારતનો આપણા દેશનો એક પણ વડોપ્રધાન કે ગૃહપ્રધાન છેલ્લાં ૧૮ વર્ષમાં એક પણ વાર અરૂણાચલ નહીં ગયેલો. પોતાને બીજાં કરતાં વઘુ દેશભકત ગણાવનાર અને આવી બાબતોમાં કોંગ્રેસની ટીકા કરવાનું બાકી નહીં રાખનાર ભાજપના વડાપ્રધાન બાજપેયી કે ગૃહપ્રધાન (‘‘પીએમઈન વેઇટીંગ’’) આડવાણી પણ અરૂણાચલ નહીં ગયેલા. આ અંગે પત્રકારોની અને જનતાની સખત ટીકા સાંભળી પછી અત્યારના વડાપ્રધાન મનમોહનસિંહ છેવટે તવાંગ જઈ આવ્યા. અરૂણાચલમાં હમણાં ચૂંટણી થઈ ત્યારે પણ કોંગ્રેસની દ્રષ્ટિથી મનમોહનસિંહ ત્યાં ગયેલા. છતાં મનમોહનસિંહ ચીનને નાખુશ કરવા નથી ઇચ્છતા. દા.ત. અરૂણાચલના લુમ્લાના કોંગ્રેસી ધારાસભ્ય ચીનની સામ્યવાદી વિસ્તારવાદી નીતિના વિરોધમાં ૨૦૦૮માં દેખાવો કરવા માંગતા હતા એની ઉપર મનમોહન સરકારે પ્રતિબંધ લગાવી દીધેલો. (અમલદારશાહીના સલાહ...અમલદારો એટલે આઈ.એ.એસ. અને આઇ.એફ.એમ. એટલે ઇન્ડીઅન ફોરેન સર્વિસ પાસ કરેલા અમલદારો. આનો અભ્યાસક્રમ બ્રિટિશરો અંગ્રેજોએ કરેલો છે એટલે એમાં બીકણપણું જ હોય.)
અરૂણાચલ, મીઝોરમ, નાગાલેન્ડ વગેરે પ્રદેશોને બ્રિટિશરોએ ભારતથી અલગ રાખવાની નીતિ રાખેલી. એના પૂર્વોત્તર એટલે નોર્થ ઇસ્ટ એટલે નેફા કહેતા. અંગ્રેજોએ એને ૧૮૭૩થી બંગાળ વિષે એક કાયદો કરીને અલગ રાખેલો. ત્યાં પ્રવેશ કરવા માટે આપણે ભારતીઓએ પણ પરમીટ લેવી પડતી હતી. આ અન્યાયી કાયદાને સૌ પ્રથમ સમાજવાદી સાચા નેતા રામમનોહર લોહિયાએ તોડ્યો. એમ કરવા બદલ એમને કેટલીકવાર નજર બંધ પણ કરવામાં આવેલા. એમનું કહેવું છે કે નેફાનો પ્રદેશ જો ભારતનો છે તો નેહરૂ સરકાર ત્યાં ભારતીયોને છૂટથી પ્રવેશવા કેમ દેતી નથી ? એ પછી આઝાદીના પચીસ વર્ષ પછી અરૂણાચલની અલગ ઓળખ આપવામાં આવી અને એને પહેલાં કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયો. એ પછી પંદર વર્ષ પછી ૧૯૮૭માં એને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. (‘‘કોયલા’’ ફિલ્મનું કેટલુંક શુટીંગ તવાંગમાં થએલું છે.) અરૂણાચલની વસતિ ૯થી ૧૦ લાખ જ છે અને વિસ્તાર ૩૨,૦૦૦ ચોરસ માઈલ છે.
ઈ.સ. ૬૨૦માં ચીનનો પ્રવાસી હ્રેનત્સાંગ (હ્યુએનસાંગ) ભારત આવેલો ત્યારે પણ એણે અરૂણાચલ સહિત તિબેટ અને લદાખને પણ ભારતના હિસ્સા જ કહ્યાં છે. દલાઈ લામા ૧૯૫૯માં તિબેટથી નાસીને ભારતના શરણે આવ્યા પછી ચીને ભારત સાથેનો સરહદનો પ્રશ્ન વઘુને વઘુ ઉખેળવા માંડ્યો. એ લદાખ, અક્ષયચીન, અરૂણાચલ, સિક્કીમ નેપાળ ભૂતાન ઉપર પોતાનો દાવો કરવા ઉપરાંત આપણા બદ્રીનાથ મંદિર અને જોશીમઠને પણ પોતાના હોવાનો દાવો કરે છે. આપણે ચીનને કડકાઈથી જવાબ નથી આપતા એનું આ પરિણામ છે. ચીનની અને બધા જ સમાજવાદીઓની નીતિ વિસ્તારવાદી જ રહી છે એને આવી ડરપોક સરકાર ફાવે એ સ્વાભાવિક છે.
આવતા બે-ચાર વર્ષમાં શું ચીન આપણી ઉપર શું આક્રમણ કરશે ?
ચીનના કબજામાં જો આપણો દેશ આવી ગયો તો ચારસો વર્ષે પણ ચીનના સકંજામાંથી આપણે છૂટી શકીશું નહીં !
ચીનની ચાલબાજી.
બીજા કંઈ જ નહીં...પણ પ્રબળ ઇચ્છા શક્તિનો, દ્રઢ મનોબળ, સંકલ્પશક્તિનો અને દેશભક્તિનો, દેશપ્રેમનો અભાવ જ કારણભૂત છે...પાકિસ્તાન હોય કે ચીન હોય કે અમેરિકા હોય....બધાના મુકાબલે આપણા શાસકો, આપણા સત્તાધિશો, આપણા રાજકીય પક્ષો, આપણા નેતાઓ...કોઈનામાં દેશભક્તિ, દેશપ્રેમ નથી અને એના અભાવના કારણે એમનામાં પ્રબળ ઇચ્છાશક્તિ નથી, દ્રઢ મનોબળ નથી અને લોખંડી સંકલ્પશક્તિ નથી...પછી એ મનમોહનસિંહ હોય કે આડવાણી હોય, નરસિંહરાવ હોય કે મુલાયમ હોય, સુષમા સ્વરાજ હોય કે મમતા બેનરજી હોય !
બાકી ચીન કે પાકિસ્તાનની હેસીયત નથી કે...આપણી સામે ચેંચુ કરે. (હવે તો, એવી શંકા જાય છે કે....આપણા વિદેશખાતામાં, આપણા સંરક્ષણ ખાતામાં, આપણા ગૃહખાતામાં....આપણા ખાતેખાતામાં જાસુસો જ ગોઠવાયેલા છે... પેલી માઘુરી ગુપ્તા જેવી ઓફિસર જાસુસ હોય પછી તો થઈ રહ્યું ને ?...હજી તો, એની ‘‘તપાસ’’ ચાલે છે ! અરે, આવા દેશદ્રોહીને તો તરત જ ગોળીએ જ દેવા જોઈએ ! પેલા કાસબને જીવતો રાખીને શું મેળવ્યું ? લો, હવે પાકિસ્તાન કહે છે કે...એને અમને સોંપી દો ! આવાના કેસ ચલાવવામાં શું મળ્યું ? આપણા જનતાના અબજો રૂપિયા ગટરમાં જ નાખવાનાને ?
પેલા લલિતમોદીને કે ડૉ. દેસાઈ જેવા રાક્ષસને શા માટે જીવતા રાખવાના ? આપણા જનતાના અબજો રૂપિયાનું પાણી જ એમને જીવતા રાખીને કરવાનું ને ? કેસ ચલાવીને પણ શું ફાયદો છે ? વકીલોને કમાવી આપવાના ? અને બીજા હજારો કેસો અટકાવી દેવાના ? એ ન્યાય નથી પણ બન્ને પક્ષ (જનતા અને ગુનેગાર) માટે અન્યાય છે. પાકિસ્તાને કસાબને સોંપવાની માંગણી કરી છે પણ પેલા બીજા નવ આતંકવાદીઓના શબ લઈ જવા પાકિસ્તાન તૈયાર નહીં થએલું આપણે એ શબોને કરોડો રૂપિયાનો ખર્ચ કરીને એક વર્ષ સુધી રાખવા પડેલા અને અંતે એનો હમણાં નાશ કર્યો ! આવા અવળ ચંડા પાકિસ્તાન સાથે વાટાઘાટો કર્યા કરવાનો કશો જ અર્થ નથી. આપણા ૫૦ વર્ષથી એની સાથે વાટાઘાટો કર્યા કરીએ છીએ પણ પરિણામે શું મળ્યું ? વઘુ આતંકવાદીઓ, વઘુ હુમલાખોરી અને વઘુ ખુવારી ! પાકિસ્તાન સાથે તડનેફડ જ હોય !)
પરંતુ ૧૯૫૦થી અત્યાર સુધીની આપણી દરેક સરકારો ચીનથી દબાયેલી જ રહી છે અને ચીન આપણી એ નબળાઈને દબાવતું જ રહ્યું છે. તિબેટમાં એક કહેવત છે કે....જો હૃદય મજબૂત હોય તો ઉંદર પણ હાથીને ઉપાડી શકે છે. (ગુજરાતીમાં પણ એ મતલબની કહેવતો છે જ.) પણ આપણે સરકાર ઉંદરના બદલે સિંહ હોવા છતાં પેલા હાથીને આપણા અરૂણાચલપ્રદેશને ખુંદવા દીધો છે. એ હાથીએ તિબેટને પહેલાં જ કચડી નાંખ્યું હતું.
ચીનના માઓ ત્સંતુંગે ૧૯૫૦માં આપણા વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને એક સંદેશો આપ્યો હતો....કે, તિબેટને ‘‘મુક્ત’’ કરી દીઘું છે. જવાબમાં જવાહરલાલે ભોળાભાવે પૂછેલું કે, ‘‘મુક્ત કોનાથી કર્યું ?’’ (તિબેટ તો મુક્ત જ હતું પરંતુ સામ્યવાદીઓ પોતે જેનો કબજો લે છે એને ‘‘મુક્ત’’ કર્યું એમ કહીને જનતાને ગેરમાર્ગે દોરવાની નીતિ રાખે છે.)
સામ્યવાદી અને તિબેટને એ રીતે ‘‘મુક્ત’’ના નામે ગુલામ બનાવી દીઘું અને ત્યાંના લાખો તિબેટીયનોને રહેંસી નાખ્યા. એ વખતે નેહરૂએ ચીનનો વિરોધ ન કર્યો પણ ઉલટાનું પંચશીલની સંધિ ચીન સાથે કરીને ભારતની લેખિત મંજુરી આપી દીધી. માઓએ ત્યારે કહેલું કે ‘‘તિબેટ ચીનની કપાયેલી હથેળી હતું જે હવે જોડાઈ ગઈ છે...બસ હવે પાંચ આંગળીઓ જોડવાની રહી....’’ (એ પાંચ આંગળીઓ એટલે અરૂણાચલ, લદાખ, સિક્કિમ, ભૂતાન અને નેપાળ. એમાં નેપાળને ચીન અંગુઠો ગણે છે જેનો કબજો ચીને લઈ લીધો છે. અરૂણાચલનો પણ અમુક ભાગ ચીનના કબજામાં છે. હમણાં દલાઈલામા જ્યાં ગયેલા અને મનમોહનસિંહ પણ ગયેલા ત્યારે ચીને વિરોધ કરેલો એ તવાંગ અરૂણાચલનું હૃદયસ્થળ છે. એ તવાંગની નજદીકના પ્રદેશ ઉપર ચીને ગેરકાયદે કબજો કરેલો છે.
આ તવાંગ બૌઘ્ધોનું તીર્થસ્થળ છે અને ૧૦ હજાર ફીટ ઊંચે આવેલું છે. ચીને એ મેળવવા જ ૧૯૬૨માં આપણી ઉપર આક્રમણ કરેલું. રાજીવ ગાંધી ૧૯૮૮માં આપણા વડાપ્રધાન તરીકે ચીનના પ્રવાસે ગયેલા ત્યારે ચીનના વડાપ્રધાન દેંગ જાિઓ પેંગે કહેલું કે....‘‘તવાંગ અમને આપી દો તો અમને સંતોષ થઈ જશે.’’ ચીનની માંગણી જ નહીં પણ વર્તણૂંક...આચરણ જ એવું છે કે એ તવાંગને અને અરૂણાચલને ચીનનો ભાગ જ ગણાવે છે. જાણે તવાંગ એનું જ હોય એમ ચીને ૨૦૦૬માં ભારતના લશ્કરને કહ્યું હતું કે, ‘‘તવાંગમાં બૌઘ્ધની જે મૂર્તિ છે એ ત્યાંથી હઠાવી લો...’’ જેના જવાબમાં આપણી મનમોહન સરકારે અને ભારતીય લશ્કરે એ મૂર્તિને ત્યાંથી હઠાવવાનો ઇન્કાર કર્યો. એટલે આપણા વડાપ્રધાન સરદાર મનમોહનસિંહના રાજમાં જ ચીનના લશ્કરે તવાંગમાં પ્રવેશીને ૨૦૦૭ના ઓક્ટોબરમાં ૩૦ તારીખે ભગવાન બૌઘ્ધની એ પ્રતિમા તોડી નાંખેલી.
આ શું બતાવે છે ?
વિચાર કરો !
આ સમાચારો સરકારે દબાવી રાખેલા પરંતુ અખબારોએ (આસામ અને અરૂણાચલના અખબારો અને પ્રજા ઘણી દેશપ્રેમી છે. દા.ત. બંગાળમાંથી હિન્દીમાં દૈનિકો નીકળે છે એ કરતાં આસામમાંથી અને અરૂણાચલમાંથી હિન્દી દૈનિકો વઘુ નીકળે છે. એ જ રીતે બંગાળમાં હિન્દી ભાષા બોલનાર અને સમજનાર હશે એ કરતાં આસામ, અરૂણાચલ, મેઘાલયમાં વઘુ છે.) આ વાત (આપણું ચીને કરેલું અપમાન) અખબારોએ છાની ન રાખી. પરિણામે સંસદમાં પ્રશ્નો થવા લાગ્યા..જેના જવાબમાં અંતે સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટનીએ ૨૦૦૭ના ૨૨ નવેમ્બરે સંસદમાં આ બનાવનો સ્વીકાર પણ કર્યો.
ચીન હજી આપણા દેશાભિમાનનું અપમાન થાય એવું બીજું કામ પણ કરી રહ્યું છે.
દા.ત. અરૂણાચલવાસી કોઈને પણ ચીન જવું હોય તો ચીનની એલચી કચેરી કહે છે કે....‘‘તમારે વીઝા લેવાનો ન હોય કારણ કે અરૂણાચલ ચીનનો જ ભાગ છે એટલે તમારે સ્વદેશમાંને સ્વદેશમાં જવું હોય તો વીઝાની જરૂર ન હોય.’’
ચીનના આવા અપમાનો આપણી અત્યારની અને આ પહેલાંની ઇંદિરા-રાજીવ સિવાયની બીજી બધી સરકારો નપુંસક હોય એમ જોઈ રહે છે !
દા.ત. સંસદમાં જ અગાઉની સરકારે જણાવ્યું હતું કે અરૂણાચલના મુખ્યપ્રધાન ગેગોંગ અપાંગને જ ચીનની સરકારે વીઝા આપવાનો ઇન્કાર કરેલો. એ પછી ૨૦૦૭ના ડિસેમ્બરમાં લગભગ સો જેટલા આઈએએસ અમલદારો ચીનના પ્રવાસે જવાના હતા એમાં અરૂણાચલના એક અમલદાર ગણેશ કોયુ નામના હતા એને એકને વીઝા આપવાનો ચીને ઇન્કાર કર્યો એટલે બધા જ આઇ.એ.એસ. ઓફિસરોએ પ્રવાસ રદ કરેલો.
એ વખતે મનમોહન સરકારને સૂચન થએલું કે....કૌટિલ્યની નીતિ પ્રમાણે ‘‘શઠં પ્રતિ શાઠ્યં’’ અથવા ‘‘જેવા સાથે તેવા’’ કરીને આપણે ચીનના પડખે આવેલા તાઈવાનને માન્યતા આપીને ત્યાં આપણી એલચી કચેરી કરીને એલચીને પણ ત્યાં રાખવાનું કરીએ...પણ એટલા માટે છાતી જોઈએ ! આપણા કોંગ્રેસ કે ભાજપ કે જનતાદળ કોઈના પણ એકાદ નેતામાં શું એવી છાતી છે ? અરે, ઇંદિરાગાંધી જેવું પણ મનમોબળ કોઈનામાં નથી.
બહુ ઓછા લોકો એ જાણે છે કે ભારતનો આપણા દેશનો એક પણ વડોપ્રધાન કે ગૃહપ્રધાન છેલ્લાં ૧૮ વર્ષમાં એક પણ વાર અરૂણાચલ નહીં ગયેલો. પોતાને બીજાં કરતાં વઘુ દેશભકત ગણાવનાર અને આવી બાબતોમાં કોંગ્રેસની ટીકા કરવાનું બાકી નહીં રાખનાર ભાજપના વડાપ્રધાન બાજપેયી કે ગૃહપ્રધાન (‘‘પીએમઈન વેઇટીંગ’’) આડવાણી પણ અરૂણાચલ નહીં ગયેલા. આ અંગે પત્રકારોની અને જનતાની સખત ટીકા સાંભળી પછી અત્યારના વડાપ્રધાન મનમોહનસિંહ છેવટે તવાંગ જઈ આવ્યા. અરૂણાચલમાં હમણાં ચૂંટણી થઈ ત્યારે પણ કોંગ્રેસની દ્રષ્ટિથી મનમોહનસિંહ ત્યાં ગયેલા. છતાં મનમોહનસિંહ ચીનને નાખુશ કરવા નથી ઇચ્છતા. દા.ત. અરૂણાચલના લુમ્લાના કોંગ્રેસી ધારાસભ્ય ચીનની સામ્યવાદી વિસ્તારવાદી નીતિના વિરોધમાં ૨૦૦૮માં દેખાવો કરવા માંગતા હતા એની ઉપર મનમોહન સરકારે પ્રતિબંધ લગાવી દીધેલો. (અમલદારશાહીના સલાહ...અમલદારો એટલે આઈ.એ.એસ. અને આઇ.એફ.એમ. એટલે ઇન્ડીઅન ફોરેન સર્વિસ પાસ કરેલા અમલદારો. આનો અભ્યાસક્રમ બ્રિટિશરો અંગ્રેજોએ કરેલો છે એટલે એમાં બીકણપણું જ હોય.)
અરૂણાચલ, મીઝોરમ, નાગાલેન્ડ વગેરે પ્રદેશોને બ્રિટિશરોએ ભારતથી અલગ રાખવાની નીતિ રાખેલી. એના પૂર્વોત્તર એટલે નોર્થ ઇસ્ટ એટલે નેફા કહેતા. અંગ્રેજોએ એને ૧૮૭૩થી બંગાળ વિષે એક કાયદો કરીને અલગ રાખેલો. ત્યાં પ્રવેશ કરવા માટે આપણે ભારતીઓએ પણ પરમીટ લેવી પડતી હતી. આ અન્યાયી કાયદાને સૌ પ્રથમ સમાજવાદી સાચા નેતા રામમનોહર લોહિયાએ તોડ્યો. એમ કરવા બદલ એમને કેટલીકવાર નજર બંધ પણ કરવામાં આવેલા. એમનું કહેવું છે કે નેફાનો પ્રદેશ જો ભારતનો છે તો નેહરૂ સરકાર ત્યાં ભારતીયોને છૂટથી પ્રવેશવા કેમ દેતી નથી ? એ પછી આઝાદીના પચીસ વર્ષ પછી અરૂણાચલની અલગ ઓળખ આપવામાં આવી અને એને પહેલાં કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયો. એ પછી પંદર વર્ષ પછી ૧૯૮૭માં એને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. (‘‘કોયલા’’ ફિલ્મનું કેટલુંક શુટીંગ તવાંગમાં થએલું છે.) અરૂણાચલની વસતિ ૯થી ૧૦ લાખ જ છે અને વિસ્તાર ૩૨,૦૦૦ ચોરસ માઈલ છે.
ઈ.સ. ૬૨૦માં ચીનનો પ્રવાસી હ્રેનત્સાંગ (હ્યુએનસાંગ) ભારત આવેલો ત્યારે પણ એણે અરૂણાચલ સહિત તિબેટ અને લદાખને પણ ભારતના હિસ્સા જ કહ્યાં છે. દલાઈ લામા ૧૯૫૯માં તિબેટથી નાસીને ભારતના શરણે આવ્યા પછી ચીને ભારત સાથેનો સરહદનો પ્રશ્ન વઘુને વઘુ ઉખેળવા માંડ્યો. એ લદાખ, અક્ષયચીન, અરૂણાચલ, સિક્કીમ નેપાળ ભૂતાન ઉપર પોતાનો દાવો કરવા ઉપરાંત આપણા બદ્રીનાથ મંદિર અને જોશીમઠને પણ પોતાના હોવાનો દાવો કરે છે. આપણે ચીનને કડકાઈથી જવાબ નથી આપતા એનું આ પરિણામ છે. ચીનની અને બધા જ સમાજવાદીઓની નીતિ વિસ્તારવાદી જ રહી છે એને આવી ડરપોક સરકાર ફાવે એ સ્વાભાવિક છે.
No comments:
Post a Comment